« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

24 Sep 2016

આવજે

Posted by sapana. No Comments

રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.

શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.

ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.

એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.

આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.

– હરદ્વાર ગોસ્વામી

પ્રિયતમાની પ્રતીક્ષા ફક્ત આંખો અને દિલ જ નથી કરતું!! પણ આસપાસની દરેક વસ્તુઓ ઈન્તેઝારમાં લાગી જાય છે. પ્રિયતમાને વિનંતી કરતાં કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી કહે છે કે રાહ જોતા આંગણા છે આવજે, અને બારણા પણ ખુલ્લા છે આવજે. શું શું ઈન્તેઝાર કરે છે? હ્ર્દયની શૂન્યતા, આંસું ને શાયરી કેટ કેટલાં કારણ આપે છે કવિ એનાં આવવા માટે!!સઘળા રસ્તા આપણાં છે એ તને ઘેર લઈ આવશે. એકદમ સરળ ભાષામાં પ્રિયતમાને આવવાના રસ્તા બતાવે છે.કોઈ કવિની કલ્પના જ કહી શકે કે આ ધ્રૂકજતા તાપણાને હૂંફની જરૂરત છે.મક્તાના શેરમાં આંખ ઊભડક હોંઠ અક્કડ અને મૌન મન આ બધી કદાચ અંતિમ કાળની નિશાની હશે શ્વાસની ગતિ પણ સો ગણી,હવે તો આવજે.ઉત્સુકતાથી આમંત્રણ આપતા કવિ સરળ રસ્તા બતાવ્યા અને દરેક કારણો પણ બતાવ્યા કે શા માટે તું આવજે કવિની કલ્પના કહે છે કે ધ્રૂજતા તાપણાને તારી હૂંફની જરૂર છે.કવિની આ ગઝલ રોજની પ્રતીક્ષાથી અંતિમ પળ સુધીના ઈન્તેઝાર સુધી લઈ જાય છે,અને આપણને પણ પ્રતીક્ષામાં મૂકી દે છે. એટલી સરળ અને સચોટ ગઝલ!
સપના વિજાપુરા

21 Sep 2016

દાવો લાગે છે

Posted by sapana. 4 Comments

writing

સંબંધોનો મોટો બોજો લાગે છે!!
હર દિલમાં પ્રેમ થોડો ઓછો લાગે છે!!

સાંધુ સાંધુ ને તૂટે દોરી પાછી
પે’લેથી આ કાચો ધાગો લાગે છે!!

બારીઓ ને દરવાજા ખોલો સઘળાં
મારાં તો રૂંધાતાં શ્વાસો લાગે છે!!

માંના પગમાં જન્નત હોવાની વાતો!!
કોઈનો આ ખોટો દાવો લાગે છે!!

દેવાવાળો તો બેઠો છે દિલ ખોલી
અધખૂલો મારો આ ખોબો લાગે છે!!

લોકો સાથે ઝગડી ઝગડીને શું કરું
આ મારો રૂપિયો ખોટો લાગે છે

ક્યાંની ક્યાં જોડી જોડે છે હે ઈશ્વર
શાને આ ગરબડ ગોટાળૉ લાગે છે!!

કહી દે શબ્દોમાં “સપના”દિલની વાતો
એથી દિલનો બોજો હલકો લાગે છે!!

સપના વિજાપુરા

9 Sep 2016

થાય શું !!

Posted by sapana. 5 Comments

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

-આતિશ પાલનપુરી

કવિ શ્રી આતિશ પાલનપૂરીએ પોતાના તખ્ખલુસ કરતાં બિલકુલ વિરોધી ગઝલ લખી છે..ઠંડાશથી મત્લાનો શેર લખાયો છે કે જે થવાનું હતું તે થયું થાય શું? અને જે ના થયું તેની લ્હાય શું?
પણ આપણામાંથી કેટલાં જણા આ ફિલોસોફીને કબુલે છે?? બધું જાણીએ છીએ કે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.પણ તો પણ આમ કેમ ના થયું તેમ કેમ ના થયુંની લ્હાય બધાંના મનમા હોય છે..ગાલિબ કહે છે કે “ફિક્રે દુનિયામે સર ખપાતા હું મૈ કહાં ઔર યેહ બબાલ કહાં!!”બીજાં શેરમાં કવિ કહે છે કે ઈશ્વરે તો અમને ખૂબ આપ્યું પણ અમારાં ખોબામાં ના સમાય તો શું કરીએ!!અને ત્રીજો શેર તો પરાકાષ્ઠાએ પહોંચે છે કે આ જિંદગી એક દિવસ તો મારો જીવ લેશે.. એટલે કે મૃત્યુ નક્કી છે તો આ જિંદગીની હાય શું?? અહમની આગ જે લોકો પીધા કરે છે એ બીજાને શું પાય?? અને મક્તાનો શેર ” ખાલી હાથ આયા હૈ અને ખાલી હાથ જાયેગા”ની ફિલોસોફી પર છે અને બે પંક્તિમાં મોટી વાત કહી જવી એ ખૂબ મોટા કવિનું લક્ષણ છે.માણસ તો ખાલી હાથ આવ્યો છે અને ખાલી હાથ જવાનો છે..પણ કેટલા લોકો આ વાત માને છે? દુનિયાની હાય હાયમાં પૈસા કમાવામાં અને દેખાદેખીમાં આખી જિદંગી કાઢી નાખીએ છીએ..અને અંતમાં ખબર પડે છે કે કફનમાં ખીસ્સા નથી…માણસ સાથે લૈ જાય તો લૈ જાય શું!! બે બોલ પ્રેમનાં લઈ જવાય કે મરી જઈએ પછી કોઈ યાદ કરે!!એક એક શેર જીવનમાં ઉતારવા જેવો છે..સલામ આતિશ સાહેબ!!
સપના વિજાપુરા

4 Sep 2016

બહેર આપો

Posted by sapana. 4 Comments

200355364-001

ઉદાસીને ખુશીની એક લહેર આપો
ગઝલને આ નવી કોઇ પણ બહેર આપો

કાં તો મીરાની જેવું એક જિગર મને દો
નહીંતર એક પ્યાલો મુજને ઝહેર આપો

જુનાં મિત્રો જુનાં સંબંધ નથી હવે તો
નવાં મિત્રો નવું કોઇ એક શહેર આપો

છે બેઘર રોઝદારો ભૂખ ને પ્યાસ માર્યા
કર્યુ છે કામ જેણે એને કહેર આપો

છે સપનાં શુષ્ક ખૂલી આંખનાં કયારથી પણ
એ ભીંજવવાં મજાની એક નહેર આપો

સપના વિજાપુરા

27 Aug 2016

ભીંતે ચઢી છે

Posted by sapana. 1 Comment

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

તમારા વગર શું શું થાય છે એ ચાર શેરમાં કહેવું હોય તો કોઈ માહીર કવિ જ કહી શકે છે!! કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ આ ચાર પંક્તિમાં પ્રિયતમા વગર શું શું થાય છે એ હ્રદયને સ્પર્શી જાય તે સચોટ રીતે જણાવ્યું છે. સાંજ પડતાં તારી યાદ..સૂરજ જ્યારે ઢળવા લાગે છે અને રાતોચોળ થઈ જાય તો કવિ કલ્પના કરે છે કે ઉદાસી સૂરજની આંખે ચઢી છે અને સાંજ તમારા વગર ડૂસકે ચઢી છે.”હુઈ શામ ઉનકા ખયાલ આ ગયાં” કે પછી “યેહ શામકી તન્હાઈયા ઔર ઐસેમે તેરા ગમ” કે પછી મારો એક શેર “વિંટળાઈ સાપ માફક આ એકલતા,
રોજ રોજ એવી વિરહની સાંજ આવી”..બસ આ સાંજની એકલતા અને ડૂસકે ચઢેલી સાંજની વાત કવિ ખૂબ સરળતાથી કહી જાય છે.ઝરૂખે ઊભા રહી પ્રતિક્ષાની આદત પણ થઈ જાય છે જે નથી આવવાનું એની રાહ જોવી એ કામ કોઈ કવિ જ કરી શકે..દિવાલ પર એકબીજાનાં નામ લખી એ નામને હથેળીથી વારમવાર સહેલાવવી એ પણ એક રોમાંચીત કરે એવી પળ હોય છે..અને એ લખેલાં નામ પર જ્યારે મધુમાલતીની વેલ ઉપર ચઢે તો જાણે પ્રિયતમાનાં કેશમા વેણી લગાવી લાગે!! “દિલ જો ના કહ સકા વહી રાઝે દિલ કેહનેકી રાત આઈ”જો સભા તમારી હોય તો લાવ જરા ગણગણી લઉં જે ભૂલાયેલી ગઈ એ પંક્તિઓ હોંઠે ચઢી છે.એક તડપતી છટપટતી ગઝલ!!
સપના વિજાપુરા

23 Aug 2016

તમે આવો તો બે’ક વાતો કરીએ

Posted by sapana. 5 Comments

13661805_10154398000099347_5597283033551154495_o

ઓગષ્ટ ૫,૨૦૧૬ ની સાંજનાં ૬ વાગે આઈ સી સી સેન્ટરમાં ” બેઠક” દ્વારા ભારતનાં ખ્યાતનામ કવિ શ્રી અનિલ જોશી સાહેબનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ ડો કવિ શ્રી દિનેશભાઈ શાહ્,કવયિત્રી જયશ્રી મરચંટ, પ્રજ્ઞાબેન દાડભાવાલા, મહેન્દ્રભાઈ મહેતા તથા સપના વિજાપુરાના સાથ અને સહકારથી યોજવામાં આવ્યો હતો.છ વાગે ડિનર આપવામાં આવેલું. જેમાં ઈડલી, મેંદુવડા ઉપમા,સાંભાર,ખીર અને કોફીની સગવડતા કરવામાં આવી હતી.બરાબર સાત વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. પ્રજ્ઞાબેનની ઓળખવિધી પછી જયશ્રીબેન મરચંટે કવિ શ્રી અનિલભાઈ જોશીની ઓળખાણ આપી.જેમાં જયશ્રીબેને એમના ગીતો અને કવિતાઓ તથા એમના મળેલા એવોર્ડ અને એમના જીવનની ઝરમરથી લોકોને ભીંજવી દીધા. કવિ શ્રી અનિલ જોશીનો જન્મ ગોંડલમા થયો અને મુંબઈમાં વસવાટ કર્યો. કવિ શ્રી રમેશ પારેખ અને અનિલભાઈ ખાસ મિત્રો હતાં.કવિ શ્રી અનિલભાઈ ફકત કવિ જ નહીં પણ નિબંધકાર તરીકે પણ સુપ્રસીધ છે. એમના એક નિબંધસંગ્રહ “સ્ટેચ્યુ”ને ૧૯૯૦માં સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળેલો.એમના ઘણાં કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયાં છે. જેમાં ‘બરફનાં પંખી’,’ઓરા આવો તો વાતો કરીએ’ઘણાં સુપ્રસીધ્ધ થયાં છે.ત્યારબાદ કવિ શ્રી અનિલ જોશીને માઈક આપવામાં આવ્યું. કવિ શ્રી અનિલ જોશીએ પોતાના ગીતોથી જમાવટ કરી. પોતાનાં ગીત , ગઝલ અને કાવ્યોની સાથે બીજા ગઝલકાર અને કવિઓ અને કવયિત્રીની રચનાઓ પણ પઠન કરતા ગયા ં અને માહોલ બંધાતો ગયો દોઢ કલાકથી પણ વધારે શ્રોતાઓને જકડી રાખ્યા.તેઓ કહેતા રહ્યા કે મારો સમય પૂરો થઈ ગયો પણ શ્રોતાઓએ એમને બેસવા ના દીધા. ખાલી ગીત અને ગઝલ નહીં પણ જીવનના પ્રસંગો પણ જણાવતા ગયાં અને જીવનનો બોધ પણ આપતાં ગયાં.ત્યારબાદ કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહ ની ઓળખ વિધી કરી. ડો શાહ ૧૯૬૧માં યુ એસ એ આવ્યા અને કોલંબસ યુનિવર્સિટીથી ડોકરેટની ડિગ્રી મેળવી.ડો દિનેશ શાહે પચીસ વર્ષમાં ફાર્મા, ટેક્ષટાઈલ અને બાયો મેડિકલમાં ઘણાં પારિતોષિક મેળ્વયા. ૧૯૯૨ માં એમને વિશ્વ ગુર્જરી એવોર્ડ એનાયત થયો.અને ૧૯૯૫ માં સ્વામિનારાયણ સંસ્થાએ પ્રાઈડ ઓફ ઈન્ડીયાનો એવોર્ડ અર્પિત કર્યો.૨૦૦૩માં રાટ્રપતિ ભવનમાં ડો અબ્દુલ કલામ આઝાદ સાથે મુલાકાત થઈ. એમણે ફ્લોરીડામાં ઈન્ડીયા કલચર અને એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી.જ્યારે એમના નામનો રસ્તો કપડવંજમાં બન્યો ત્યારે ભારત સરકાર પર પણ માન ઉપસ્થીત થયું. પોતાના જીવનની એક પણ ક્ષણ વેસ્ટ નથી કરી એ એમની સાથેના પરિચય પછી હું જાણી શકી છું.સાયન્ટીસ્ટ તરીકે ઘણાં એવોર્ડ મેળવ્યા છે હાલમાં જુન ૬, ૨૦૧૬ માં એમને એસ આઈ એસ કશ મિત્તલ એવોર્ડ પણ ચાઈનામાં અર્પણ કરવામાં આવ્યો.જે એવોર્ડ વૈકલ્પિક વર્ષે આપવામાં આવે છે જે ૨૦૦૨ ચાલુ કરવામાં આવ્યો છે જે એવોર્ડ સ્વિડન, યુ એસ એ ,ફ્રાંસ યુ કે,ઈઝરાઈલ અને ઓસ્ટ્રેલીઆના સાયન્ટીસને અર્પણ કરવામાં આવ્યા છે અને હવે આપણા ડો દિનેશભાઈ શાહને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.ડો. દિનેશ શાહ ખરેખર ગુજરાતનું ગૌરવ છે.કવયિત્રી સપના વિજાપુરાએ ડો દિનેશ શાહના સ્વર્ગસ્થ પત્નિ સુવર્ણાબેન શાહ ઉપર એક ગીત લખ્યું હતું. જેનું પઠન કરી વાતાવરણને લાગણીવશ બનાવી દીધું હતું.શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ ડો દિનેશ શાહને ખેશ પહેરાવ્યો હતો અને દિનેશભાઈએ ટૂંકાણમાં આભાર માન્યો હતો.ત્યારબાદ રેખા ત્રીવેદી અને ડીમ્પલભાઈએ પોતાના સુમધૂર સૂરમાં કવિ શ્રી અનિલ જોશી અને રમેશ પારેખના ગીતોનો આસ્વાદ કરાવ્યો.સાડા નવ વાગે કાર્યક્રમની સમાપ્તી થઈ.
ઓગષ્ટ ૭ ૨૦૧૬ ના દિવસે ભુપેન્દ્ર શાહને ત્યાં પદ્માબેન શાહ જે ડો દિનેશ શાહના બહેન છે એમના સંગ્રહનું વિમોચન રાખવામાં આવેલું.જેમાં ફરી ડો શાહ અને કવિ શ્રી અનિલભાઈને સાંભળવા મળ્યાં. પ્રજ્ઞબેન દાડભાવાલા સીનીયર સીટીજનને આ રીતે પ્રોત્સાહન આપે છે અને બધાં સીનીયરના દિલ જીતી લે છે..પદ્માબેનનું પુસ્તક બબનાવવાનો વિચાર પ્રજ્ઞાબેનને આવેલો.પદ્માબેનની આંખમાં હર્ષના આંસું આવી ગયાં..આ રીતે પરદેશમાં વસી ગુજરાતીઓ ગુજરાતીને જીવંત રાખવાની કોશીશ કરી રહ્યા છે.”બેઠક”નો ગુજરાતી જીવંત રાખવામાં મોટો ફાળો છે.
સપના વિજાપુરા

27 Jul 2016

તોડું છું

Posted by sapana. 4 Comments

images

પાલખી વાદળની છે હું ઊડુ છું
આસમાને કંકુ પગલાં પાડું છું

બંધ આંખે હું તો સપને રાચું છું
નાવ વિશ્વાસે હું તારી છોડું છું

યાદમાં તારી મગન રહેવું ગમે
ઝાંઝવા પાછળ હું રણમાં દોડું છું

નિત નવાં ‘સપનાં’ નયનમાં ઊભરે
ને સવારે એજ ‘સપનાં તોડું છું

સપના સપન્ા

26 May 2016

સપનાનું નગર

Posted by sapana. 5 Comments

 

pushp

સપના તણું છે નગર
કોને ભલા છે ખબર

ફૂલો મહેકે ચમન
એની હવામાં અસર

લોહીમાં ખળખળ થયું
તારી અડી છે નજર

આસાન રસ્તા નથી
ક્યાં છે એ હમસફર?

‘સપનાં’ સહેવા પડે
આપે ખુદા પણ સબર!!!

સપના વિજાપુરા

7 Apr 2016

મન થાય છે

Posted by sapana. 3 Comments

23feca0cb3711e4b97502de1685a0aa9

વિશ્વાસ કરવાનું ફરી મન થાય છે
આકાશે ઊડવાનું ફરી મન થાય છે

બચપન ગલી નાકે પહોંચ્યુ બસ હશે
પાંચીકે રમવાનું ફરી મન થાય છે

તાજી કબર છે આજ પણ તારી બહેન
કૈં વાત કરવાનુ ફરી મન થાય છે

વરસાદ મોસમનો પહેલો છે સખા
વ્હાલા પલળવાનું ફરી મન થાય છે

ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે
મન મૂકી હસવાનું ફરી મન થાય છે

વેરાન આંખો છે હ્ર્દય પથ્થર છતાં
‘સપનાં’સજાવાનું ફરી મન થાય છે

સપના સપના

3 Apr 2016

હળહળતું નથી

Posted by sapana. 2 Comments

dead-flowers_10-feng-shui-tips-for-your-home

એકધારુ જીવન કદી હોતું નથી
ફૂલ કરમાઈ જાય એ ખીલતું નથી

વાળ તડકે ધોળા કર્યા લાગે છે મેં
અટપટુ જીવન સાલું સમજાતુ નથી

રાત કાળી ડીબાંગ છે ને હું રડું
ડૂસકાથી પણ કોઈ સળવળતું નથી

ઓહ દુનિયા ક્યાં છે અસર તુજ ઝહેરમાં
જીવુ છું તારું ઝહેર હળહળતું નથી

રોજ ‘સપના’જોઉં ભરી આંસું નયન
કોઈ સપનું આંસુંથી પીગળતું નથી.

સપના વિજાપુરા