14 Sep 2009
ભવિષ્ય
એક જ્યોતિષે કહ્યુ,
“લાવ તારું ભવિષ્ય જોઈ દઉં.”
મેં કહ્યુ,”ભવિષ્ય નહિ ભૂતકાળ જોઈ દે.”
કારણ મને મારૂ ભવિષ્ય ખબર છે
સામે વિકરાળ હાથ ફેલાવતુ,
મલેકુલ મોત ઊભું છે,
મારાં ગળાંને પકડી,
મારાં શ્વાસોનો અંત લાવશે,
પછી મારાં અપાર્થીવ શરીરને કબરમાં નાખશે,
પછી અંધારી કબર અને ભીંસાતી કબરની દીવાલો,
અને કીડા મકોડાને ભોજન.
પછી કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક.
મેં મારૂ સ્વર્ગ નક્કી કર્યુ છે.
તો હે જ્યોતિષ, મને મારો ભૂતકાળ બતાવ,
ક્યાં કરવાના છે સુધારા બતાવ,
કરેલી ભૂલોને સુધારી લઉં,
થોડાં પાત્રો બદલી લઉં,
અને થોડી માફી માંગી લઉ,
થોડાં શ્વાસ ચેનથી જીવી લઉં.
સપના
ઘણીજ સુંદર..
vishwadeep
September 14th, 2009 at 7:26 pmpermalink
અછાંદસ છે છતાં વાક્ય રચનામાં ગઝલનો મરોડ સંભળાય છે, એ તમારી ખાસયત છે.કવિતા સ્વગતોક્તિ સુધી પહોંચી અટકી ગઈ.
છેવટે જે અપેક્ષા જન્મી તે પરિપૂર્ણ ન થઈ, કાવ્યમાં જે ઊંડાણ જોવું
હતું તે અંતિમ પાંચ પ્ંક્તિમાં ખાનગી confession થઈ ગયું..
તમારા કાવ્યો વાંચવાનું હમેશા ગમે છે…અપેક્ષા મારી નીજી વસ્તુ છે.
himanshu patel
September 15th, 2009 at 1:03 ampermalink
Vichar ganaj saras maafi mangi levani itcha mara dil ma pan jagi gai so thank you Sapnaji.Enjoyed it.
Shenny Mawji
September 15th, 2009 at 4:25 ampermalink
એક ઔર સુંદર રચના ! એક નવા જ વિષયવસ્તુ અને અભિવ્યકિત ને રજૂ કરતો ખુબ જ અસરકાર અછાંદસ !
તમારી સુંદર રચનાઓમાં એક નવું મોરપીંછ! લખતાં રહો…સપનાબેન, તમારી કલમ યાત્રા અવિરીત ચાલતી રહે અને અમને આવી જ વિવિધતા સભર સુંદર રચનાઓ મળતી રહે તે જ શુભેચ્છા સહ અભિનંદન!!
પ્રવિણ કે.શ્રીમાળી
September 15th, 2009 at 5:05 ampermalink
સરસ…
વિવેક ટેલર
September 15th, 2009 at 8:26 ampermalink
ખુબજ સરસ…
સામે વિકરાળ હાથ ફેલાવતુ,
મલેકુલ મોત ઊભું છે,
મારાં ગળાંને પકડી,
મારાં શ્વાસોનો અંત લાવશે,
પછી મારાં અપાર્થીવ શરીરને કબરમાં નાખશે,
પછી અંધારી કબર અને ભીંસાતી કબરની દીવાલો,
અને કીડા મકોડાને ભોજન.
પછી કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરક.
આ વાત જો દરેક વ્યક્તિના જહેન માં હોય તો જરુર તે ગલત કામ કરતાં 1 નહી 2 વખત વિચારે..
રશ્મિકા ખત્રી
September 16th, 2009 at 8:27 ampermalink
સરસ રચના.
Heena Parekh
September 16th, 2009 at 10:44 ampermalink
આખા જીવનનો નિચૉડ કહી જાય છે આ અછાંદસ..પણ જીવન સુસંગત અને છંદમય બને જીવન્સ્ંગીત ની વીણા ઝણઝણે તેવી આશા રોજની સવાર આપશે… ઉગતો સૂરજ આપશે… સુબહા કભી તો આયેગી..
કહેવાતી જીવનની બાબતો મરણ જેવી લાગે તો શૂભ છે..ભવિષ્ય જેને જાણી લીધુ કે અંધકારમય છે અને ભૂલકાળની ભૂલો જેને સુધારવી છે તે નવજીવન પામે છે અને એવુ કે જેમાં જીવનની ક્ષુલ્લક રોજીન્દી ચીલાચાલૂ બાબતો મહ્ત્વની ન રહે…
યે સફર બહોત હૈ કઠીન મગર મત હો ઉદાસ મેરે હમસફર ગીત કેવો સંદેશ આપે છે..
Dildip
October 25th, 2009 at 1:02 ampermalink
i want to know my future.. plzzz tell me..
suhani
June 17th, 2010 at 5:24 ampermalink
મારૅ જાણ્વૂ કૅ મારૂ મૉત ક્યારૅ ?
સ્ મ ય તા રિ ક્
pragna
July 15th, 2011 at 12:01 pmpermalink
મનૅ મારૃ ભાવિ ક્હૉ
pragna
July 15th, 2011 at 12:08 pmpermalink
મારે જાણવુ કે મારું મોત કયારે છે?
યોગેશ કુમારા વેલાજી ઠાકોર
April 7th, 2014 at 10:41 ampermalink