30 Jun 2011
શ્રધ્ધા ના જગાડે
પ્રભાતે સૂર પંખીનાં જગાડે
અજાને શંખ મંદિરનાં જગાડે
ગયો વિશ્વાસ મિત્રોનાં ભરોસે
કોઈ દિલમાં ભરોસા ના જગાડે
અતીતો મૂકી આવી ખૂબ પાછળ
કે મનમાં વેદના કોઈ ના જગાડે
જરા ઠંડી પડી છે આગ દિલની
એ ચિનગારી હવા દઈ ના જગાડે
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
હશે પાષાણનાં એવા હ્રદય પણ
કે ભૂખ્યાં જોઈ દયા પણ ના જગાડે
મહોબત પાક છે એની માનજે તું
મળે દોસ્તોથી,ઈર્ષા ના જગાડે
લો સપના સરી છે આજ શમણે
કહો કોઇ પ્રભાતે ના જગાડે
ગહેરી ઊંઘમાં સપના છે આજ
કહો ફરિસ્તાને એને ના જગાડે
સપના વિજાપુરા
૬-૨૧-૨૦૧૧
ઊંડા ભાવ જગતને સાચા શબ્દના મોતીથી શણગારી ,એક
અલગારી દુનિયામાં રમતા અંતરને આપે રજૂ કર્યું છે.
અભિનંદન ચીંતનમય ગઝલ માટે…સપનાબેન.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
June 30th, 2011 at 3:58 ampermalink
અતીતો મૂકી આવી ખૂબ પાછળ
કે મનમાં વેદના કોઈ ના જગાડે
વિચારો અને અનુભવની ગહેરાઈમાં ઉતારી દેતી ગઝલ આ શેર ખૂબ સરસ છે.
himanshu patel
June 30th, 2011 at 4:12 ampermalink
મક્તાનો શેર ખુબ જ સરસ છેઃ
ગહેરી ઊંઘમાં સપના છે આજ
કહો ફરિસ્તાને એને ના જગાડે…વાહ્………..
devika dhruva
June 30th, 2011 at 4:22 ampermalink
સરસ .
અતીતો મૂકી આવી ખૂબ પાછળ
કે મનમાં વેદના કોઈ ના જગાડે
Pancham Shukla
June 30th, 2011 at 8:59 ampermalink
‘ભૂતકાળની યાદો સરી ગઈ હોય એટલી સરસ ઉંઘ આવી ગઈ છે.’ – એમ કોક માને તો….
એ ઉંઘ નહીં, સાચી જાગૃતિ છે. સતત આમ જ જાગતા રહો. અંતરનો આનંદ જે કશી બહારની ઘટના કે વ્યક્તિ પર આધાર નથી રાખતો, તે તમને હમ્મેશ રહે એમ મળી જશે.
– અનુભવ વાણી
આ જ સંદર્ભમાં…
હાલોકન વાંચવા નમ્ર વિનંતી …
http://gadyasoor.wordpress.com/2011/06/22/halokan/
સુરેશ જાની
June 30th, 2011 at 1:56 pmpermalink
સપનાબહેન …છેલ્લા 3 શેર ખુબ જ સરસ …ગઝલજેવું સ્વરુપ ધરાવતી સરસ રચના…
Narendra Jagtap
June 30th, 2011 at 3:23 pmpermalink
ગહેરી ઊંઘમાં સપના છે આજ
કહો ફરિસ્તાને એને ના જગાડે
ખૂબ સરસ
Bharat Chauhan
June 30th, 2011 at 4:12 pmpermalink
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
ખુબ જ સુન્દર અર્થ્સભર બોધક ગઝલ…આપ લૈ આવ્યા..
dilip
June 30th, 2011 at 10:45 pmpermalink
સુંદર ભાવસભર ગઝલ!
સુધીર પટેલ.
sudhir patel
July 1st, 2011 at 3:29 ampermalink
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
સ..ર… સ…
Lata Hirani
July 1st, 2011 at 8:29 ampermalink
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
>>>>>>>>>>>>>………………….>>>>>>>>>>>>>>>
સપનાબેન,
આ તો ખુબ સુંદર..ખુબ જ ગમી !
જ્યારે હ્રદયમાંથી “પ્રભુ-પ્રેમ” ઝરે ત્યારે શબ્દો પણ શબ્દો ના રહે પણ એ જ “હ્રદય્”બની જાય છે !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Now back to USA from UK…A New Post “Prabhudhanthi Jagmaa Pachha Faryaa”..Inviting you to read it !
DR. CHANDRAVADAN MISTRY
July 1st, 2011 at 3:38 pmpermalink
હ્રદય જ્યારે નિખાલસ બને ત્યારે જ ઇશ્વર મલે ..
chetu
July 3rd, 2011 at 12:36 ampermalink
કહો ફરિસ્તાને એને ના જગાડે…
વાહ !
‘ગહેરી’ નીંદમાંથી ન જાગવાની વાત ગમી.
આખી રચના સરસ છે.
P Shah
July 3rd, 2011 at 10:15 ampermalink
સપનાજી, ગહેરા મનોમંથનના નિચોડરૂપે નીપજેલી હોય તેવી સરસ ગહન રચના.
Manhar Mody ('mann' palanpuri)
July 4th, 2011 at 9:27 ampermalink
ઉંડા સંવેદનની આ રચના સુન્દર રહી, થૉડી ચુસ્તતા જળવાય તો ગઝલ સાથે હાથ મેળવે તેવી છે..આ વિશેષ ગમ્યું..
જરા ઠંડી પડી છે આગ દિલની
એ ચિનગારી હવા દઈ ના જગાડે
ashok jani 'anand'
July 7th, 2011 at 12:53 ampermalink
આદરણીયશ્રી. સપનાબહેન
આપનો સુંદર બ્લોગ છે,
કાવ્યની રસધારા સુંદર વહેવડાવો છો.
તે જાણીને ખુબજ આનંદ થયો બહેન
મને પ્રેરણાના શબ્દો કાવ્યધારામાં વહેવડાવ્યા
તે બદ્લ આપનો આભારી છું.
ડૉ.કિશોરભાઈ પટેલ
Dr.Kishorbhai Mohanbhai Patel
July 7th, 2011 at 12:59 ampermalink
એક પણ પંક્તિ ને અળગી ના જ કરી શકાય.. ખુબજ ભાવવાહી રચના છે દીદી…
chandralekha rao
July 8th, 2011 at 11:34 ampermalink
પ્રકૃતિમાં મને ઇશ્વર મળે છે
કદી મસ્જીદ શ્રદ્ધા ના જગાડે
ખુબ સરસ …
munira
August 2nd, 2011 at 6:12 ampermalink