22 Dec 2010
મોક્ષ
મુક્ત થયું મન
આકાશ તરફ ઊડ્યું મન
એકજ માર્ગ છે મુક્તીનો મોક્ષનો
લવ લગાઉં હું તારાં પર
હું આવરણો ઉતારું મોહનાં
અને ઝંઝાળો દુનિયાની ત્યાગું
બંધનો બધાં તોડું
એક પંખીની જેમ ઊડું નિલગગનમાં
હાડ માંસમાં અટવાયેલું મન
પંખી બની ઊડી જાય
નથી થાક નથી દર્દ
નથી તૂટેલા શરીરનો કારાવાસ
એ મન ઊડ્યું આકાશ..
સપના હવે શરીર નથી
એ છે ફકત આત્મા
ચાલ્યો પરમાત્મા વિલીન થવા
સપના વિજાપુરા
મુક્તીની ભાવનાનુ સરસ અછાંદસ.
himanshu patel
December 22nd, 2010 at 5:03 ampermalink
એ મન ઊડ્યું આકાશ..
સપના હવે શરીર નથી
એ છે ફકત આત્મા
ચાલ્યો પરમાત્મા વિલીન થવા………………….
સપના,આજની પોસ્ટ વાંચી.
સુંદર રચના !
મારા બ્લોગ પર “મોહ ત્યાગ”ની વાત..ાને અહી પણ એનો ઉલ્લેખ વાંચી જાણે પળભાર થયું “સપના અને ચંદ્ર” વિચારધારા એક જ છે !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Thanks for your visits/comments on Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
December 22nd, 2010 at 5:35 ampermalink
હાડ માંસમાં અટવાયેલું મન પંખી બની ઊડી જાય …
મૃત્યુનું સુંદર રૂપક વર્ણન.
Daxesh Contractor
December 22nd, 2010 at 5:55 ampermalink
એક ચીંતનભર્યું કાવ્ય. ખૂબ જ સુંદર.
રમેશ પટેલ(આકાશદીપ)
Ramesh Patel
December 22nd, 2010 at 7:54 ampermalink
સરસ રચના. મન ને ખુબ ગમી.
અભીનન્દન સપનાબેન.
urvashi parekh
December 22nd, 2010 at 8:21 ampermalink
મૃત્યુ પહેલાં મૂક્તિ આ શૂભ ભાવના છે સુંદર વૈરાગ્યભાવ વાળું અછાંદસ કાવ્ય
સપના હવે શરીર નથી
એ છે ફકત આત્મા
ચાલ્યો પરમાત્મા વિલીન થવા…
ઊડ્જો બસ મૂક્ત ગગને મુક્ત મનથી ઊડ્જો…
આવજો બસ નવજીવનને લઈને પાછા આવજો
શુભેચ્છા..
unterdeep
December 22nd, 2010 at 12:42 pmpermalink
મુક્ત થયું મન
આકાશ તરફ ઊડ્યું મન
સરસ
છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
મુક્ત’મન’ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.
એ મન ઊડ્યું આકાશ..
સપના હવે શરીર નથી
એ છે ફકત આત્મા
ચાલ્યો પરમાત્મા વિલીન થવા
સુંદર અનુબ્જૂતિ
આનંદમય કોશ પર બીજું આવરણ બુદ્ધિનું છે. એની સાથે તાદાત્મ્ય કરવા પર આપણે સમજીએ છીએ કે આપણને આ જ્ઞાન છે અને આ જ્ઞાન નથી. આના પર મ ન નું આવરણ પડવા પર આપણે સુખી, દુઃખી, ક્રોધી આદિ અનુભવ કરીયે છીએ. એના પર ફરી પ્રાણમય કોશનું આવરણ હોવાથી આપણે ભૂખ, તરસ, ચાલવું, ફરવું વગેરેનો અનુભવ કરીયે છીએ. અન્નમય કોશ એના પર અંતિમ આવરણ છે. એમાં સ્થિત થઈને આપણે જાડા, પટલા, રોગી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-શુદ્ર વગેરે સમજીએ છીએ. આત્માના અજ્ઞાનમાં આ બધા ત્રુટિપૂર્ણ અનુભવ થાય છે, જેમ જમીન પર પાનના આવરણ હટાવવા પર ઘાસ દેખાવા માડે છે, એ પ્રકારે આ કોશોથી પરિચ્છિન્ન આત્માનું અનુસંધાન કરવું જોઇએ.
मदीयं शरीरं मदीयाः प्राणाः, मदीयं मनश्च मदीया बुद्धिः
मदीयं ज्ञानमिति स्वेनैव ज्ञायते,
तद्यथा मदीयत्वेन ज्ञातं, कटककुंडल गृहादिकं, स्वस्माद् भिन्नं,
तथा पञ्च कोशादिकं, स्वास्माद् भिन्नं
मदीयत्वेन ज्ञातमात्मा न भवति ।
pragnaju
December 22nd, 2010 at 4:08 pmpermalink
અધ્યાત્મની ઝાંખી કરાવતી રચના. ખુબ સરસ, સપનાજી. અભિનંદન.
ઉર્વશીજીએ ટાંકેલો મારી એક ગઝલનો શેર બરાબર બંધ બેસતો આવે છે આ રચના માટે.
છંદમાં ના હોય તો યે છે ગઝલ વ્હાલી મને,
મુક્ત ‘મન’ ના ભાવ પ્રગટાવી ગઈ,સારુ થયું.
Manhar Mody ('mann' palanpuri)
December 22nd, 2010 at 5:40 pmpermalink
મુક્તિની ભાવનાને ખૂબ સુંદર રીતે રજૂ કરતું અછાંદસ!
સુધીર પટેલ.
sudhir patel
December 23rd, 2010 at 4:54 ampermalink
અંતિમ લક્ષ્યના સંધાનની વાત સર્વકાલિન ખોજના વિવિધ પ્રતીકો દ્વારા સરસ સ્ફુટ થઈ છે.
Pancham Shukla
December 25th, 2010 at 10:58 pmpermalink