17 Apr 2009
સંબંધો
અંદરથી પોલા થઈ ગયા છે,
ઉધઈ લાગી ગઈ છે સંબંધને ,
નથી રહ્યો વિશ્વાસ ઈશ્વર પર
માનવે માટીમાં મેળવ્યા સંબંધને,
જરાક ટોકર લાગતા ચકનાચૂર,
શું કરવાના એવા નાજૂક સંબંધને?
વહેમના વાદળમાં અટવાયા કરે,
ક્યા સુધી ખેંચ્યા કરવા એ સંબંધને?
સપના તને ન આવડયુ જીવતા,
હવે મરતા શું જોડવા સંબંધને?
સપના
સપના તને ન આવડયુ જીવતા,
હવે મરતા શું જોડવા સંબંધોને?
સરસ રચના..મરતાં મરતાં સંબંધો જોડાઈ જાય છે..
તેથીજ તો યાદના વાદળ બંધાય જાયછે.
VISHWADEEP
April 17th, 2009 at 6:32 pmpermalink