30 Sep 2011

ડરતો નથી

Posted by sapana

કોઈનો વિશ્વાસ પણ પડતો  નથી
છે જખમ એવો કે એ ભરતો નથી

કોણ લે મનની વ્યથા? કોને પડી?
ખોટનો ધંધો કદી કરતો નથી

જે પહોંચી જાય ઉંચે ટોચ પર
એ જમીં ઊપર  નજર કરતો નથી

લઈ  જજો  મારો જનાજો મસ્જિદ 
એ ચહેરો જો રડે ગમતો નથી

પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી

સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!

યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી

સાત સપના હું સજું  સંગીતમય
તાર એ દિલનો તો ઝણઝણતો નથી

સપના વિજાપુરા

૮-૮-૨૦૧૧

Subscribe to Comments

15 Responses to “ડરતો નથી”

  1. સપના આપનેી કૃતિ માણવેી ગમેી.

     

    uhsa

  2. કોણ લે મનની વ્યથા? કોને પડી?
    ખોટનો ધંધો કદી એ કરતો નથી

    ‘એ’ એટલે કોણ ? એ પ્રશ્ન થાય ને જવાબ માટે થોભી જવું પડે એટલું થાય એટલે ગઝલ સાર્થક ! સાચું ને? ગઝલ સરસ બની છે, સપનાબેન.

     

    ભરત ત્રિવેદી

  3. સરસ નીજી સંવેદનોથી ગૂઢ અને સંદિગ્ધ ગઝ્લ ગંમી..

     

    himanshu patel

  4. સાંભળું છું છે હિસાબ મર્યા પછી
    અર્થ એ માણસ કદી મરતો નથી!!!

    યાદનો કાંટો ફસાયો છે હ્રદય
    એકલો દિલ વિણ એ નીકળતો નથી……..

    સરસ માર્મિક ગઝલ

     

    Narendra Jagtap

  5. સાંભળું છું છે હિસાબ મર્યા પછી
    અર્થ એ માણસ કદી મરતો નથી!!! જીવનનું સાતત્ય કહ્યુ આ શેરમાં, તત્વ ગ્યાન ય્ક્ત (ગઝલ ગમી.. ધંધો કદી એ.., એ- ગુરુ -અહી વધારે છે..
    તાર એ દિલનો તો ઝણઝણતો નથી..અહી એક લઘુ -તો- પછી.. ખૂટે છે..વ્યથા-લગા નહી થાય !!)

     

    dilip

  6. સાત સપના હું સજું સંગીતમય
    તાર એ દિલનો તો ઝણઝણતો નથી

    સપના વિજાપુરા
    સપનાબેન,
    પોસ્ટ ગમી.
    ગઝલો બનતી રહે…ચંદ્ર એવું કહે !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to my Blog !

     

    DR. CHANDRAVADAN MISTRY

  7. સર્વાંગ સુંદર ગઝલ થઈ છે. ગઝલનો મિજાજ કાયમ રહ્યો છે આખી ગઝલ દરમ્યાન.

     

    Jagadish Christian

  8. Very well said and a deep thought Always enjoy your kavya

     

    zohair mawji

  9. સરસ રચના,
    સપનાબેન્,સરસ લખો ચ્હો.ગમે છે.
    કોણ લે મનની વ્યથા,આને સામ્ભળુ છુ હીસાબ વાળી વાત સરસ.

     

    urvashi parekh

  10. પાપથી એનું હ્રદય કાળું થયું
    એ ખુદાથી પણ હવે ડરતો નથી

    સાંભળું છું છે હિસાબ મર્યા પછી
    અર્થ એ માણસ કદી મરતો નથી!!!
    એક મનનીય ગઝલ હૃદયને સ્પર્શી જતી. સપનાબેન..સાચે જ
    માનવીય સંવેદનાને આપે કળામય વાચા આપી દીધી.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  11. યાદનો કાંટો ફસાયો છે હ્રદય
    એકલો દિલ વિણ એ નીકળતો નથી

    વાહ્..ક્યા બાત હૈ !! સરસ..સરસ્.

     

    Devika Dhruva

  12. સરસ ગઝાલ બની છે, વજન બરબર સચવાયું છે…જો કે કોઇક શે’રમાં અર્થ ઉઘાડ ઓછો થાય છે.

     

    અશોક જાની 'આનંદ'

  13. બહુ જ ગમી તમારી આ લાગણીસભર ગઝલ.

     

    Manhar Mody ('mann' palanpuri)

  14. ખુબ જ સુંદર્

    મજા આવી

     

    Mahi

  15. લૈ જજો મારો જનાજો બસ મસીદ
    એ ચહેરો જો રડે ગમતો નથી

    પાપથી એનું હ્રદય કાળું થયું
    એ ખુદાથી પણ હવે ડરતો નથી

    ગમેી ગયુ…

     

    munira

Leave a Reply

Message: