કોઈનો વિશ્વાસ પણ પડતો નથી
છે જખમ એવો કે એ ભરતો નથી
કોણ લે મનની વ્યથા? કોને પડી?
ખોટનો ધંધો કદી કરતો નથી
જે પહોંચી જાય ઉંચે ટોચ પર
એ જમીં ઊપર નજર કરતો નથી
લઈ જજો મારો જનાજો મસ્જિદ
એ ચહેરો જો રડે ગમતો નથી
પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી
સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!
યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી
સાત સપના હું સજું સંગીતમય
તાર એ દિલનો તો ઝણઝણતો નથી
સપના વિજાપુરા
૮-૮-૨૦૧૧
સપના આપનેી કૃતિ માણવેી ગમેી.
કોણ લે મનની વ્યથા? કોને પડી?
ખોટનો ધંધો કદી એ કરતો નથી
‘એ’ એટલે કોણ ? એ પ્રશ્ન થાય ને જવાબ માટે થોભી જવું પડે એટલું થાય એટલે ગઝલ સાર્થક ! સાચું ને? ગઝલ સરસ બની છે, સપનાબેન.
સરસ નીજી સંવેદનોથી ગૂઢ અને સંદિગ્ધ ગઝ્લ ગંમી..
સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!
યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી……..
સરસ માર્મિક ગઝલ
સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!! જીવનનું સાતત્ય કહ્યુ આ શેરમાં, તત્વ ગ્યાન ય્ક્ત (ગઝલ ગમી.. ધંધો કદી એ.., એ- ગુરુ -અહી વધારે છે..
તાર એ દિલનો તો ઝણઝણતો નથી..અહી એક લઘુ -તો- પછી.. ખૂટે છે..વ્યથા-લગા નહી થાય !!)
સાત સપના હું સજું સંગીતમય
તાર એ દિલનો તો ઝણઝણતો નથી
સપના વિજાપુરા
સપનાબેન,
પોસ્ટ ગમી.
ગઝલો બનતી રહે…ચંદ્ર એવું કહે !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !
સર્વાંગ સુંદર ગઝલ થઈ છે. ગઝલનો મિજાજ કાયમ રહ્યો છે આખી ગઝલ દરમ્યાન.
Very well said and a deep thought Always enjoy your kavya
સરસ રચના,
સપનાબેન્,સરસ લખો ચ્હો.ગમે છે.
કોણ લે મનની વ્યથા,આને સામ્ભળુ છુ હીસાબ વાળી વાત સરસ.
પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી
સાંભળું છું છે હિસાબ મર્યા પછી
અર્થ એ માણસ કદી મરતો નથી!!!
એક મનનીય ગઝલ હૃદયને સ્પર્શી જતી. સપનાબેન..સાચે જ
માનવીય સંવેદનાને આપે કળામય વાચા આપી દીધી.
રમેશ પટેલ(આકાશદીપ)
યાદનો કાંટો ફસાયો છે હ્રદય
એકલો દિલ વિણ એ નીકળતો નથી
વાહ્..ક્યા બાત હૈ !! સરસ..સરસ્.
સરસ ગઝાલ બની છે, વજન બરબર સચવાયું છે…જો કે કોઇક શે’રમાં અર્થ ઉઘાડ ઓછો થાય છે.
બહુ જ ગમી તમારી આ લાગણીસભર ગઝલ.
ખુબ જ સુંદર્
મજા આવી
લૈ જજો મારો જનાજો બસ મસીદ
એ ચહેરો જો રડે ગમતો નથી
પાપથી એનું હ્રદય કાળું થયું
એ ખુદાથી પણ હવે ડરતો નથી
ગમેી ગયુ…